રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સ્તરને ઉચું લાવવા માટે ઘણી યોજનાઓ ઘડે છે પરંતુ તે માટે કાગળ પર જ રહી જાય છે અને જરૂરિયાત મંદ વિધાર્થીઓ સુધી પહોચતી નથી.તો સાથે સાથે સરકાર દ્વારા “સ્વચ્છ ભારત” અભિયાન થાકી મોટી મોટી જાહેરાતો કરીને તાયફો કરવામાં આવે છે છતાં પણ સ્વચ્છતાના નામે મીંડું જોવા મળે છે.મોરબીના વજેપરમાં આવેલ એક શાળામાં વિધાર્થીઓ અને શિક્ષકો પુરતા પ્રમાણમાં છે પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવે વિધાર્થીઓનું ભાવી અંધકારમાં ઘકેલાયું છે.તે માટે આજે શાળાના શિક્ષકો અને વાલીઓએ કલેકટરમેં આ મુદે રજૂઆત કરી હતી.
મોરબીના વજેપરમાં આવેલી કલ્યાણ પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે અને આ શાળામાં શિક્ષકોનો પુરતો સ્ટાફ અને ૩૦૦ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે પરંતુ માત્ર ત્રણ જ વર્ગખંડો હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન વેઠવી પડી રહી છે.તેમજ શાળામાં પીવાના પાણીની સુવિધા નથી અને શાળા બહાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જેથી વિધાર્થીઓનું સ્વસ્થ્ય પણ જોખમ રૂપ છે.આ મામલે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ કલેકટર કચેરી પહોંચ્યા હતા અને શાળામાં સુવિધાઓ માટેની માંગ કરી હતી ત્યારે જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી અને શાળાના પ્રશ્નો અને બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને નવા વર્ગખંડો બનાવવા જમીન માટે જીલ્લા પંચાયતને સુચના આપી દેવાની ખાતરી આપી હતી.જયારે ગંદકી મામલે પાલિકાને તાકીદે કામગીરી કરવા માટેનો આદેશ આપવાની ખાતરી આપવામાં આપવામાં આવી હતી.જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી જોકે પ્રાથમિક શાળામાં અસુવિધાઓએ ફરી એક વખત સરકારની શિક્ષણની નીતિને ઉજાગર કરી છે.