મોરબીના વાઘપરા વિસ્તારમાં શેરી નંબર 9 રહેતા મૂળ રાજકોટની પરિણીતા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કરી બાઈકમાં ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી.પરિણીતા ચહેરા,હાથ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા ચીસાચીસ થતા પતિ દોડી આવ્યો હતો અને હોસ્પિટલ લઈ ગયો હતો. જેથી પતિ પણ હાથના ભાગે દાઝી જતા સારવાર અપાઈ હતી.પરિણીતાને વધુ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરાઈ હતી.
આ અંગે પોલીસે ફરિયાદ નોંધી એટેક કરનાર પૂર્વ પતિને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તારણમાં છૂટાછેડા બાદ યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોવાથી ઘટનાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. મૂળ રાજકોટના બિનીતાબેનના લગ્ન 1 વર્ષ પહેલાં કલ્પેશ પટેલ નામના શખ્સ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસોમાં પતિ સાથે અણબનાવ થતા છૂટાછેડા થયા હતા જે બાદ પરિણીતાએ તેના જાણીતા મિત્ર વિશાલ શૈલેષ આડેસરાની સાથે લગ્ન કરી 8 મહિનાથી મોરબીના વાઘપરા વિસ્તારમાં ભાડે રહેતા હતા.