હાલ લગ્નસરાની મોસમ ખીલી છે અને વૈશાખ માસમાં અનેક સ્થળે શુભ લગ્ન લેવાતા હોય છે ત્યારે આજે હળવદના ઇશાનપુર ગામે થતા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
હળવદના ઇશાનપુર ગામે એક દીકરીના લગ્ન લેવાયા હતા અને રવિવારે તા. ૨૨ ના રોજ તેના લગ્ન હોય પરંતુ દીકરીની ઉમર પૂરી ના હોવાની માહિતી મળતા મોરબી સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા ટીમના સુનીલ રાઠોડ, વિપુલ શેરશીયા, સમીર લધ્ધડ અને રંજનબેન મકવાણા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીકરીની ઉમર ચકાસણી કરતા તે માત્ર ૧૬ વર્ષ અને ચાર માસની હોવાનું માલૂમ પડ્યું હતું જેથી લગ્ન અટકાવી દેવાયા હતા અને તેણે હાલ વિકાસ વિધાલય ખાતે રાખવામાં આવી છે આમ બાળ લગ્નના દુષણને ડામવા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા ટીમ સતત કામગીરી કરી રહી છે