રાજકોટના શ્રોફ રોડ પરના રહેવાસી અને વાંકાનેર નજીક સિરામિક ફેક્ટરીના સંચાલક પ્રજ્ઞેશ બેચરભાઈ સુરાણી નામના ઉદ્યોગપતિ પાસેથી ૨૦ લાખની ખંડણી વસુલવા માટે મોરબીના કુખ્યાત શખ્શ ભારૂભા ગઢવીએ ઉદ્યોગપતિને રૂબરૂ તેમજ મોબાઈલ નં ૬૩૫૧૧ ૩૨૧૭૪ અને ૯૦૫૪૭ ૩૨૩૫૧ પરથી ફોન કરીને તા. ૨૨ થી ૨૪ જાન્યુઆરીના રોજ દરમિયાન ધમકીઓ આપવામાં આવી હતી જેમાં ઉદ્યોગપતિ ૨૦ લાખની ખંડણી ના આપે તોફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપી હતી
જે મામલે પોલીસને સમગ્ર બનાવની જાણ કરતા પોલીસે મોરબીના કુખ્યાત શખ્શ ભારૂભા ગઢવીને દબોચી લેવામાં આવ્યો હતો જોકે બાદમાં ફરીથી જામીન મુક્ત થયા બાદ તેણે ઉદ્યોગપતિ પ્રજ્ઞેશ સુરાણીને ધમકીઓ આપવાનું શરુ કર્યું છે ત્યારે વાંકાનેર સીટી પોલીસે આરોપી ભારૂભા ગઢવી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
જાન્યુઆરી માસમાં ખંડણી અને ધમકીઓ અંગે ફરિયાદને પગલે ભારૂભા ગઢવીની અટકાયત કરવામાં આવી હતી જોકે બાદમાં ફરીથી તે મુક્ત થયા બાદ તેણે ખંડણી માટે ફોન કર્યા હતા જેમાં ગત તા. ૧૫ માર્ચ અને બાદમાં ૨૫ એપ્રિલ ના રોજ ફોન કરીને લાખોની ખંડણી માંગી ધમકીઓ આપી હોવાનું ઉદ્યોગપતિએ ફરિયાદમાં જણાવ્યું છે. વાંકાનેર સીટી પોલીસે કુખ્યાત ભારૂભા ગઢવી સામે ખંડણી અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવતા આરોપીને થાન નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી છે.