મોરબીના માંડલ ગામે રેહતી પરણીતાએ પોતની ઘરે ગળેફાસો ખાઈને આપઘાત કરી લેતા મૃતકના પિતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે આપઘાત માટે મજબુર કરવાની ફરિયાદ નોધાવી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામમાં રેહતી રીટાબેન કલ્પેશભાઈ ઝાલા (ઉ.વ.૩૦ ) વાળી ગઈકાલે કોઈ કારણોસર પોતાની ઘરે ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જેમાં પ્રાથમિક તપાસમાં મહિલાના લગ્નને દસ વર્ષ જેટલો સમય વીત્યો છે અને જેમાં છ વર્ષનું એક બાળક પણ છે અને જેમાં આજે મૃતકના પિતા સરદારસિંહ પઢીયારએ મોરબી તાલુકા મથકે એવી ફરિયાદ નોધાવી છે કે મારી દીકરીને તેનો પતિ કલ્પેશકુમાર રહે.ઉંચી માંડલ મોરબી તેની કેહવાથી સાસુ સજજનબેન દેવુભા ઝાલા, સસરા દેવુભા ઝાલા અને જેઠ રાજુભાઈ ઝાલા રહે.સુરેન્દ્રનગર કરિયાવર બાબતે શારીરક માનસિક ત્રાસ આપતો જેનાથી કંટાળીને રીટાબેને આ આપઘાતનું પગલું ભર્યું છે પોલીસે પતિ સહિતના સાસરિય સામે આપઘાત માટે મજબુર કરવાનો ગુનો નોધી વધુ તપાસ ચલાવી રહી છે તો વધુમાં મળતી વિગત મુજબ ગઈકાલે જયારે કલ્પેશ પોતના પુત્ર સાથે વાળ કપાવા ગયો ત્યારે પરણીતાએ એકલતાનો લાભ લઈને આપઘાત કર્યો હતો