મોરબીમાં મચ્છુ – ૨ સિંચાઈ યોજનાની મેજર અને માઇનોર કેનાલ સફાઈની મંજૂરી મળતા આજે સિંચાઈ વિભાગ દ્વારા અવધ સોસાયટી વિસ્તારમાં કેનાલ કટિંગની કામગીરી શરૂ કરવા આવી હતી. પરતું ત્યાં રહેતા વિસ્તારના રહીસોએ ઝઘડો કરી કટિંગ કામ અટકાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. અને અધિકારીઓનો ધેરાવ કરવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
બનવાની મળતી વિગત મુજબ મોરબી શહેરની વચ્ચેથી પસાર થતી નાની અને મોટી કેનાલ સાફાઈ માટે સરકારે મંજૂરી આપતા સિંચાઈ વિભાગ દ્વારા યદુનંદન સોસાયટીથી શરૂ થઈ ગોરખીજડિયા, અમરેલી સુધી ૭ કિમિ વિસ્તારમાં પથરાયેલ નાની કેનાલનું કટિંગ કામ અવધ સોસાયટીમાંથી શરૂ કર્યું હતું.પરંતુ અવધ સોસાયટી વિસ્તારમાં સિંચાઈ વિભાગનો કાફલો પહોંચતા જ સોસાયટીના રહેવાસીઓ એકઠા થઇ ગયા હતા અને ખુલ્લી કેનાલ બંધ કરી અહીં પાઇપલાઇન નાખવા અથવા તો કેનાલ બંધ કરવા અધિકારીઓને ધેરી લઇ ઉગ્ર રજૂઆત કરી હતી.
તો આ હંગામાની જાણ થતાની સાથે જ સિંચાઈ વિભાગના અધિકારી આઈ.ટી.સાતોનીયા સહીત પોલીસ કાફલો પહોચ્યો હતો તેમજ સિંચાઈ અધિકારી સાતોનીયાએ જણાવ્યું હતું કે કચ્છની એમ.એમ.સી ને કેનાલ કટિંગનું કામ આપવામાં આવેલ છે. પરંતુ કેનાલના દોઢ કિલોમીટરવિસ્તારમાં રહેણાંક વિસ્તાર હોવાથી ત્યાના રહીશોએ દોઢ કીલોમીટરના રસ્તામાં કેનાલમાં પાઈપ લાઈન નાખો તથા કેનાલ ઢાંકોની સાથે રહીસોએ હોબાળો કર્યો હતો અને અધિકારીનો ધેરાવા પણ કર્યો હતો પણ પોલીસ સ્ટાફ ઓછો હોવાથી પાછા ફર્યા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને વધુ બંદોબસ્ત સાથે કેનાલ કટિંગનું કામ શરુ કરવામાં આવસે તેમ જણાવ્યું હતું.