દેશભરમાં ચકચારી મચાવનાર કિસ્સો જેમાં શાહરુખ ખાનનો પુત્ર આર્યન ક્રુઝ ડ્રગ્સ પાર્ટી થી ઝડપાયા બાદ બૉલિવૂડમાં સન્નાટો પસારી ગયો છે. હાલ જામીન પણ નથી મળી રહ્યા જેના કારણે આર્યન જૈલમાં જમવાનું બંધ કરી દીધું છે જોકે ડિજાઈલ અધિકારીઓની સમજણ બાદ પાર્લેજી બીસ્ક્યુટ ખાઈ છે, આપને જણાવી દઈએ કે શાહરુખ ખાને હાલ વકીલ બદલી નાખ્યો છે, આર્યનનો પરિવાર હાલ ખુબ જ હેરાન છે.
ખબરોમાં જાણવા મળી રહ્યું છે કે આર્યન ખાને વીડિયો કૉલ પર શાહરુખ ખાન અને ગૌરી ખાન સાથે વાત કરી હતી. 10 મિનિટની આ વાતચીતમાં આર્યનખાન એકદમ તૂટી પડ્યો હતો અને ખુબ જ રડવા લાગ્યો હતો. ફોન કોલ પર શાહરુખ અને ગૌરી પણ એકદમ ભાવુક થઈ ગયા હતા અને તેમણે દીકરાને શાંત પડી આશ્વાસન આપ્યું હતું. કોવિડ19 ને કારણે જેલના નિયમો બદલાય છે હવે જેલના કેદીઓ પરિવારને મળી શકતા નથી,પણ વીડિયો કૉલ પર વાત કરે છે. આર્થર રોડ જેલમાં કેદીઓને મહિનામાં બેથી ત્રણ વાર પરિવાર સાથે વાતચીત કરાવાય છે. જેથી આર્યનખાને પણ પિતા અને માતા જોડે વાત કરી હતી.
હાલ આર્યન ખાન જનરલ વોર્ડમાં છે જોકે 8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલની બેરક નંબર 1માં ક્વૉરન્ટિન કરવામાં આવ્યો હતો. 14 ઓક્ટોબરના રોજ આર્યનનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતા તેને જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.