Omar Abdullah ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે 1300થી વધુ વિદ્યાર્થીઓ માટે સુરક્ષાની માંગ ઊઠી
Omar Abdullah ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતી તણાવપૂર્ણ સ્થિતિએ વિશ્વભરમાં ચિંતા ઊભી કરી છે. ભારત માટે ખાસ કરીને આ સ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે ઈરાનમાં હાલમાં 1300થી વધુ કાશ્મીરી વિદ્યાર્થી અભ્યાસ માટે સ્થાયી છે. આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સલામતી બંને જોખમમાં હોવાનું જણાઈ રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ 13 જૂનના રોજ વિદેશ મંત્રાલયને ટ્વિટર (હવે X) પર ટેગ કરીને એક તાત્કાલિક અપીલ કરી. તેમણે લખ્યું કે, “@MEAIndia ને ઈરાનમાં ફસાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુખાકારી તાત્કાલિક સુનિશ્ચિત કરવા વિનંતી છે. તેમના પરિવારો ખૂબ જ ચિંતિત છે અને અમે આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા છીએ.”
જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ
, ઈરાનમાં અભ્યાસ કરતા મોટાભાગના કાશ્મીરી વિદ્યાર્થીઓ મેડિકલ, ખાસ કરીને MBBSના અભ્યાસ સાથે જોડાયેલા છે. JKSAએ વિદેશ મંત્રાલયને પત્ર લખીને જણાવ્યું હતું કે આજે જે તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ છે, તેમાં ઘણા વિદ્યાર્થીઓ એમના કોલેજો-યુનિવર્સિટીઓથી સઘન લશ્કરી વિસ્તારોની નજીક છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “વિદ્યાર્થીઓ સતત હવાઈ હુમલાઓના અવાજો, સાયરન અને હવાઈ સુરક્ષા કામગીરીની ગૂંજી રહ્યો છે. કેટલાક તો તે શહેરોમાં છે જ્યાં ઇઝરાયલના સીધા હુમલાની માહિતી મળી છે. આ તમામ વિદ્યાર્થીઓ ડર અને અશાંતિની સ્થિતિમાં છે.”
JKSAએ સરકારને વિનંતી કરી છે કે તેઓ students માટે dedicated helpline, સલાહકાર માર્ગદર્શન અને ઈરાનમાં આવેલી ભારતીય દૂતાવાસ સાથે students માટે સીધી સંપર્ક રેખાઓ સ્થાપિત કરે.
વિદ્યાર્થીઓના માતાપિતા માટે આ સ્થિતિ અત્યંત કપરાની બની છે. સરકાર તરફથી તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે એ આજની તાતી જરૂરિયાત છે.