રાજ્યમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે ત્યારે કાળઝાળ ગરમીમાં અનેક પક્ષીઓ પાણી પીધા વગર મોતને ભેટતા હોય છે આવા સમયે નવસારીમાં જૈન અગ્રણીઓ અને જીવદયાપ્રેમીઓના સંયુક્ત સહકારથી પક્ષીઓ માટે ચબૂતરો બનાવવા જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે જ્યાં પાણી અને દાણાના ચણ માટે વ્યવસ્થા ઉભી કરવમાં આવશે સાથેજ હાલ પાણી પીવા માટે પણ પાઉચ કે બોટલ લેવી હોયતો પણ પૈસા ચૂકવવા પડતા હોય અનેક લાભાર્થી મફત પાણી પી શકે તે માટે પરબ બનાવવાનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે.
ચબુતરામાં અબોલ પક્ષીઓને ચણ અને પાણીની સગવડ પણ કરવામાં આવી છે.
નવસારી શહેરમાં જૈન સમાજના શ્રેષ્ઠીઓએ શ્રીઆશાપુરી માતાજીના મંદિર પાસે, ગાર્ડનની બાજુમાં પક્ષીઓ માટે ચબુતરો અને શહેરીજનોને ઠડું પાણી વિનામૂલ્યે મળી રહે તે માટે પાણીની પરબનું આયોજન કર્યું છે. લાખોના ખર્ચે તૈયાર કરાનાર પરબ અને ચબુતરો શહેરીજનોને આગામી સમયમાં લાભ મળી રહેશે.