નવસારીમાં 22મી માર્ચથી જાણીતા કથાકાર મોરીરાબાપુની રામકથા શરૂ થઈ છે.
મોરારીબાપુએ છેલ્લે 2009ની સાલમાં નવસારીમાં રામકથા કરી હતી આમ 14 વર્ષ બાદ મોરારીબાપુની રામકથા લુન્સીકુઇ મેદાન ખાતે આયોજન કરાયું છે જે તા. 30 મી માર્ચ સુધી ચાલશે.
કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ટ્રસ્ટ આયોજિત આ રામકથા અંતર્ગત 22મીના રોજ બપોરે સિંધી કેમ્પના પ્રિતમનગરથી રામકથાની પોથી યાત્રા નીકળી લુન્સીકુઇ સ્થિત કથા સ્થળે પહોચી હતી.
9 દિવસ ચાલનારી કથા માટે મોટી સંખ્યામાં મહિલાઓ તથા અન્ય સ્વંયસેવકો સેવા બજાવી રહયા છે. કથા દરમિયાન વાહનોના પાર્કીંગ માટે સુંદર વ્યવસ્થા તેમજ પાર્કિંગ સ્થળેથી કથા સ્થળે જવા આવવા પણ વાહનોની વ્યવસ્થા કરાઇ છે. કથા દરમિયાન રામ પ્રસાદ(મહાપ્રસાદ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવસારી પંથકમાં છેલ્લા 40 વર્ષમાં મોરારી બાપુની આ છઠ્ઠી કથા હોય મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ કરવા ઉમટી રહયા છે.