નવસારીમાં નિચાણ વાળા વિસ્તારમાં પુર સ્થિતિ ઉભી થઇ છે પરિણામે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહયા છે.
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા 2500થી વધુ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્તો માટે નગરપાલિકા ટીમ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી પહોંચાડવામાં આવી રહયા છે.
આ માટે રામજી મંદિરમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહયા છે.
નવસારીમાં ગત મોડીરાત્રે જોરદાર વરસાદ પડ્યો હતો.
પરિણામે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પૂર્ણા નદીએ જળસપાટી વટાવતા કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે.
દરમિયાન હજુ ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે. પુર સ્થિતિને લઈ નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.