નવસારીના ગુમ થયેલા 8 માછીમારો બોટ સાથે સલામત રીતે મુંબઈ પરત ફરતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. મુંબઇ માછીમારી કરવા ગયેલા નવસારી 8 માછીમારો બોટ સાથે 10 દિવસ અગાઉ લાપતા બન્યા હતા. સદ્દનસિબે માછીમારી કરવા ગયેલા 8 માછીમારો જગવંદન બોટ સાથે મુંબઈ પરત ફર્યા હોવાના અહેવાલ છે.
નવસારીના છાપરા રોડના અદડી ખાતે રહતા હળપતિ સમાજના ચાર ખલાસીઓ અનિલ રમેશભાઈ હળપતિ, તેમના ભાઈ અમિત હળપતિ, શંકરભાઈ હળપતિ અને નિમેશ હળપતી સહિત કુલ 8 ખલાસીઓ મુંબઈ ખાતે કૈલાશ સોલંકી નામના વેપારી ની જગવંદન નામની બોટમાં અરબ સાગરમાં માછીમારી કરવા માટે ગયા બાદ તેમનો વાયરલેસ ઉપર સંપર્ક તૂટી જતા ગુમ થઈ ગયા હતા પરિણામે તેઓના પરિવારજનો અને તંત્ર માં ભારે ચિંતા નો માહોલ હતો.
દસ દિવસથી બોટ અને ખલાસીઓ નો કોઈ પત્તો નહિ મળતા મુંબઈ પોલીસે બોટની શોધખોળ હાથ ધરી હતી જેઓ હેમખેમ પરત આવી જતા તેમના પરિવારજનો માં ખુબજ આનંદ ની લાગણી ફેલાઇ ગઇ હતી અને તંત્ર એ રાહત નો દમ લીધો હતો.
