—પર્યાવરણનું જાહેરમાં નખ્ખોદ વાળતા તત્વો સામે કાર્યવાહી કરવામાં તંત્રને ચૂક આવે છે!
–સુરત અને નવસારી જિલ્લામાં ધમધમતા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા કોણ બંધ કરાવશે?
–કછોલી, કપ્લેથા અને લાજપોર હદ વિસ્તાર તેમજ ડાભેલ, આસણા અને ચોખડ ગામ વિસ્તારમાં ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચાલી રહયા છે છતાં કોઈ કાર્યવાહી કેમ નહિ?
–ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે પોલાસ્ટિક સહીત ઝેરી કેમિકલનો ઉપયોગ કરતા હોવાની વાત છતાં
જવાબદાર વિભાગની ચૂપકીદી અનેક સવાલો ઉભા કરે છે
–ગેરકાયદે ઇટના ભઠ્ઠામાં કેમિકલનો દુરૂપયોગ અને તેમાંથી ફેલાતા ધુમાડાથી લોકો પરેશાન થઈ ગયા છે અનેક જગ્યાએ જમીનો ખોદી ખોદી મોટા ખાડાઓ પાડવામાં આવી રહ્યા છે છતાં ખનીજ વિભાગ કઈ કરતું કેમ નથી?
સુરત જિલ્લાના નવસારી તાલુકાના કછોલી, કપ્લેથા અને લાજપોર હદ વિસ્તાર તેમજ ડાભેલ, આસણા અને ચોખડ ગામ વિસ્તારમાં ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચાલી રહયા છે.
કેટલાંક પરપ્રાંતિય વેપારીઓ જમીન માલિકને થોડાક રૂપિયા આપી તેમની જમીનો પર કોઈપણ પ્રકારની પરવાનગી વિના ઈંટના ભઠ્ઠા ચલાવી રહ્યાં હોય અને ખેતી લાયક
જમીનો અને પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યા છે.
કેટલાક ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે પોલાસ્ટિક સહીત ઝેરી કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે.
વાપરી ભારે પ્રદૂષણ ફેલાવી રહેલા ઈંટ ભઠ્ઠાઓ સામે ખાણ ખનિજ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણીબધી ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે.
ગેરકાયદે ઇટના ભઠ્ઠામાં કેમિકલનો દુરૂપયોગ, તેમાંથી ફેલાતા ધુમાડાથી લોકો પરેશાન થઈ રહ્યાં છે
હાલમાં કોલસાના ભાવોમાં વધારો થયો હોય ઇંટના ભઠ્ઠાઓના માલિકો બિન્દાસ્ત રીતે જોખમી કેમિકલનો ઉપયોગ કરી જળ, જમીન અને વાયુનું પ્રદુષણ કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.
આ ભઠ્ઠાઓની માલિકી મોટાભાગના ઉત્તરપ્રદેશના લોકોની હોય છે. તેઓ સ્થાનિક મજૂરોને કામે રાખે છે. છેલ્લા 10 વર્ષથી વધુ આ ઇંટના ભઠ્ઠાઓ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે ભૂસ્તર વિભાગના કોઈપણ પરવાનગી વગર ધમધમી રહ્યાં છે.
ઈંટના ભઠ્ઠાઓને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જતા કંઈ પાકતું નથી. ખેડૂતો બેકાર બન્યાં છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઘૂસેલું આ ન્યૂસન્સ કેટલી હદે નુકસાન કરશે તેતો આવનારો સમયજ બતાવશે.