શ્રીહરિકોટાથી NISAR લોન્ચ
૩૦ જુલાઈ 2025 એ ભારત અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો, જ્યારે નાસા (NASA) અને ઈસરો (ISRO) ના સંયુક્ત ઉપક્રમ NISAR (NASA-ISRO Synthetic Aperture Radar) ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ પ્રક્ષેપણ સાંજે 5:40 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી થયું હતું.
NISAR શું છે?
NISAR એ વિશ્વનો પહેલો એવો ઉપગ્રહ છે જે બે વિવિધ પ્રકારના રડાર (L-band અને S-band) નો ઉપયોગ કરીને પૃથ્વીની સતત અને અત્યંત સચોટ દેખરેખ કરશે. આ ઉપગ્રહને ખાશ કરીને ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓને ઓળખી અને તેમની અગાઉથી ચેતવણી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
“પૃથ્વીનું MRI સ્કેનર”
આ ઉપગ્રહને “પૃથ્વીનું MRI સ્કેનર” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે પૃથ્વીની સપાટીના એટલા નાના પરિવર્તનો પકડી શકે છે કે તે માત્ર 1 સેન્ટીમીટર જેટલા ફેરફારને પણ નોંધે છે.
NISARના ફાયદા:
- ભૂકંપ અને સુનામી જેવી આપત્તિઓ અંગે પૂર્વ ચેતવણી આપવી
- જળવાયુ પરિવર્તન, હિમનદીઓની પીઠની ગતિ અને વનવિનાશ પર નજર રાખવી
- કૃષિ, જમીન ઉપયોગ અને સમુદ્ર તટવિસ્તારોમાં થતા ફેરફારોનું નિરીક્ષણ