દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારામારીના કેસમાં આમ આદમી પાર્ટી (આપ) પર ભીંસ વધી રહી છે. દિલ્હી પોલીસ પક્ષના બે ધારાસભ્યોની ધરપકડ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. શુક્રવારે કેજરીવાલના ઘરે પહોંચેલી પોલીસનો હેતુ સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા ઉપરાંત જે રુમમાં આ કથિત ઘટના બની હતી તેની તપાસ કરવાનો છે.એડિશનલ ડીસીપી હરિંદર સિંહની આગેવાની દિલ્હી પોલીસ મુખ્યમંત્રીના ઘરે પહોંચી છે. પોલીસની સાથે ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ છે. મુખ્યમંત્રી કાર્યાલયે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ કોઈપણ જાતની સુચના વગર સીએમના ઘરે પહોંચી છે. આ મામલે આપના પ્રવકતા આશુતોષે કહ્યું કે, “કેન્દ્ર સરકાર અમને ડરાવવાના પ્રયાસ કરે તો પણ અમે ડરવાના નથી. કેન્દ્ર અમારી સરકાર તોડી પાડવાના પ્રયાસો કરી રહી છે. કેન્દ્ર સરકાર ગભરાયેલી છે.”
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.