ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન ભરવાડને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવતા ભગવાન બારડે સ્પીકર ત્રિવેદીના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન ભરવાડને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવતા ભગવાન બારડે સ્પીકર ત્રિવેદીના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. ભગવાન બારડે તાલાલાની પેટાચૂંટણી યોજવાના ચૂંટણી પંચના નિર્ણયને પણ પડકાર્યો છે અને ચૂંટણી રદ્દ કરવાની માંગ કરી છે. કોર્ટે સજા પર સ્ટે આપી દીધો છે અને તે અંગે હવે પછી સુનાવણી હાથ ધરવામાં આવશે. ગેરલાયક ઠેરવવા મામલે અને ચૂંટણી અંગે તાત્કાલિક સુનાવણ કરવા બારડે અપીલ કરી છે અને બપોર બાદ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
નીચલી અદાલતમાં 1995માં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીમાં દોષી ઠર્યા છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી ગેરકાયદે રીતે ખનીજનું ખોદકામ કરી રૂ.2.83 કરોડની ખનીજ ચોરી કરવાનો ગુનો હતો. લાઈમસ્ટોન કાંકરીનું ખોદકામ કરવામાં આવ્યું હતુ. પીખોર ગામે માઈનીંગ લીઝ ધરાવતા ગોરધનભાઈ જેઠાભાઈ દેવળીયાના રોયલ્ટી પાસેનો ઉપયોગ કરી જીએચસીએલ કંપનીમાં લાઈમ સ્ટોન કાંકરી સપ્લાય કરવામાં આવતી હતી. આમ આરોપીઓએ પીખોર ગામની લીઝનો ઉપયોગ કરી સુત્રાપાડામાં આવેલી ગૌચરની જમીનમાંથી ગેરકાયદે રીતે ખનીજનું ખોદકામ કરી ખનીજચોરી કરી હતી.
ખાણ-ખનીજ કેસમાં સુત્રાપાડાના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદ પક્ષના સમર્થનમાં 23 મૌખીક પુરાવા તેમજ 40 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. આઈપીસી 379ના ગુનામાં બે વર્ષ સજા અને નવ માસની સખત કેદની સજા અને રૂ.રપ૦૦ દંડ ભરવાનો હુકમ કર્યો હતો.
વિગતો મુજબ ભગવાન બારડ ઉપર 2007થી 2012 સુધી ધારાસભ્ય હતા. ત્યારે સાસણમાં વનવિભાગની કચેરીમાં આરએફઓ ભરત પરમાર ઉપર હુમલો કર્યો હતો તેનો આઈપીસી 307નો કેસ વેરાવળ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.
ભગવાન બારડ 2005માં ધારાસભ્ય હતા. ત્યારબાદ હારી ગયા હતા અને 2017માં ચૂંટણીમાં બે વખત જીત્યા છે. અને એક વખત હાર્યા છે. ભગવાન બારડ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને તાલાલા ખાંડ ફેકટરીના ડાયરેકટર છે.
સુપ્રિમ કોર્ટના એક ચૂકાદા પ્રમાણે બે વર્ષથી વધુ સજાના કેસમાં ધારાસભ્ય પદ રદ્દ થાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. 1951ના રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ ની કલમ 8 (3) મુજબ કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ ને કોઈ પણ કેસમાં બે વર્ષથી ઓછી ના હોય તેવી સજા મળે તો તે પ્રતિનિધિને સજા મળે તે દિવસથી જ ગેરલાયક ઠેરવી શકાય.
1 માર્ચના રોજ ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડને સજા થઇ હતી. એટલે હવે તાલાલા બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી છે.ખનીજ ચોરીમાં દોષી ઠરતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે.