પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની ખુલ્લેઆમ દાદાગીરી વર્તાઈ રહી છે. પોલીસે સીબીઆઈની એ ટીમની અટકાયત કરી લીધી છે, જે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. ટીમને હાલમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહી છે.
આ બાજુ TMCએ CBIની આ કાર્યવાહીને શર્મજનક બતાવતા કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. ટીએમસીનું કહેવું છે કે, આ કેન્દ્ર સરકારનો સંવિધાનિક ભ્રષ્ટાચાર છે. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઈના આમના-સામના બાદ સીએ મમતા બેનરજી કોલકાતા પોલીસ કમિશ્નરના ઘરે પહોંચી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોજ વેલી અને શારદા પોંજી ઘોટાળા જેવા મામલામાં સીબીઆઈ તરફથી હટાવવામાં આવેલા કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના બચાવમાં ઉતરી આવી છે. તેમણે બીજેપી પર બદલાની ભાવનાવાળી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમીશ્નર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે. તેમની ઈમાનદારી અને બહાદુરી નિર્વિવાદ છે. તે 24×7 કામ કરે છે, અને હાલમાં જ માત્ર એક દિવસની રજા લીધી હતી. ત્યારે બીજી બાજુ ચિટફંડ ઘોટાળા મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈની એક ટીમ રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના આવાસ પર પહોંચી હતી.
મમતાએ ટ્વીટ કર્યું કે, બીજેપી નેતૃત્વ શીર્ષ સ્તર રાજનૈતિક બદલાની ભાવના પર કામ કરી રહ્યું છે. ન માત્ર રાજનૈતિક દળ તેમના નિશાના પર છે પરંતુ પોલીસને નિયંત્રણમાં લેવા અને સંસ્થાઓને બર્બાદ કરવા માટે તે સત્તાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. અમે તેમીન નીંદા કરીએ છીએ.