આમઆદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે પોતાને દેશના રાજકારણમાં સૌથી ઓછી ઉંમરના અડવાણી ગણાવ્યાં. માનવામાં આવે છે કે તેમનો ઈશારો પાર્ટીમાંથી નજરઅંદાજ કરવા અંગે કર્યો છે. એક કવિ સંમેલનમાં આવેલાં વિશ્વાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આપ પાર્ટીના નેતાઓ પર હુમલો કર્યો હતો. કુમારે કહ્યું કે, “કેન્દ્રમાં મોદી સરકાર બન્યાં બાદ ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને સરકાર અને સંગઠનમાં કોઈ મોટું પદ આપવામાં ન આવ્યું. તો અનેક રાજ્યોમાં ચૂંટણીમાં અડવાણી પાર્ટીના સ્ટાર પ્રચારકની યાદીમાં પણ સામેલ ન હતા.” કવિ સંમેલનમાં કુમાર વિશ્વાસે પીએમથી લઈને કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું હતું. તેઓએ પોતાની પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર પણ મજાક કરી હતી. કુમારે કહ્યું કે, “પીએમ બિચારા વર્ષ-દોઢ વર્ષમાં આપણાં 15 લાખ પરત આપવાના પૈસા જમા કરે છે, અને કોઈને કોઈ લઈને ભાગી જાય છે. ગત વખતે 15 લાખ ભેગાં કર્યા તો માલ્યા લઈને ભાગી ગયા, આ વખતે નીરવ મોદી પૈસા લઈને વિદેશ ચાલ્યાં ગયા. આપણે રાહ જોઈ રહ્યાં છીએ કે 15 લાખ રૂપિયા ક્યારે પરત આવશે.”
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.