અાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુમાં સ્વર્ગીય જે.જયલલિતાના 70માં જન્મદિવસ પર એઆઈએડીએમકે સરકારની ‘અમ્મા સ્કૂટર યોજના’નું ઉદ્ઘાટન કરશે.આ યોજના હેઠળ વર્કિંગ મહિલાઓને દ્વિચક્રી વાહનોની ખરીદી પર 50 ટકા સબસિડી આપવામાં આવશે.
તમિલનાડુમાં જે મહિલાઓની આવક 2.5 લાખથી ઓછી હશે તેમને 125 સીસી સુધીના દ્વીચક્રી વાહનની ખરીદી ઉપર 50 ટકા એટલે કે 25 હજાર રૂપિયાની સબસિડી મળશે.એક પરિવારમાંથી એક જ મહિલાને આ રીતે વાહન ઉપર સબસિડી મળશે. વિધવા, વિકલાંગ અને ટ્રાન્સજેન્ડરને આ સબસિડીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.