લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભગવાન ભોળેનાથના શરણે છે. પીએમ મોદી આજે કેદારનાથ અને આવતીકાલે બદ્રીનાથની મુલાકાતે છે.
અહીં પીએમ મોદી દર્શન કરી પૂજા અર્ચના કરશે. પીએમ મોદી કેદારનાથના જિર્ણોદ્ધારની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે એટલે કે રવિવારે સવારે તેઓ કેદારનાથના દર્શન કર્યા બાદ બદ્રીનાથ જવા માટે રવાના થશે. પીએમ મોદી ભોલે નાથના શરણે છે. પીએમ મોદી પાર્ટીની જીત માટે પૂજા અર્ચના કરશે.