રાજકોટમાં પ્રજા તો અનેક પ્રશ્નોથી આજે પણ પીડાઈ રહી છે પણ કોંગ્રેસે લોકોની કોઈ માંગણી માટે નહીં પણ પોતાની લાગણી દર્શાવવા આજે ત્રિકોણબાગ ખાતે એકત્ર થઈને ધરણાં પ્રદર્શન યોજ્યા હતા. જેમાં કોંગી નેતાઓએ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામુ ન આપે અને યથાવત્ રહે તેવી માંગ ઉઠાવી હતી.
પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના નેતાઓ, કાર્યકરોએ એકઠાં થઈને બેનર્સ ફરકાવ્યા હતા અને રાહુલજીએ રાજીનામુ નહીં આપવા માટે એવી દલીલ કરી હતી કે લોકસભા પૂર્વે ધારાસભાઓની ચૂંટણી થઈ તેમાં ત્રણ રાજ્યોમાં ભાજપના સૂપડા સાફ થયા હતા.
ભાજપના ભ્રષ્ટાચાર, રાફેલ કૌભફાંડ વગેરેને ઉજાગર કરીને લોકો સુધી પહોંચાડવામાં કોંગ્રેસના કાર્યકરો ઉણાં ઉતર્યાનો સ્વીકાર કરીને જણાવ્યું કે જે હાર મળી છે તે આશ્ચર્યજનક ચે અને ઈવીએમના આંકડા અને મતદારોએ કરેલ મતદાન વચ્ચે મેળ બેસતો નથી, ઈવીએમમા ગરબડ છે અએ સ્થિતિમાં તેઓએ અધ્યક્ષ પદ પર યથાવત્ રહેવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
જો કે કોંગ્રેસને ગુજરાતમાં ૨૬માંથી એક પણ બેઠકમાં બહુમતિ મળી નથી પણ લાખો મતો તો મળ્યા જ છે, ત્યારે કોંગ્રેસે લોકોને પીડા આપતા પ્રશ્નો ઉકેલવા મેદાને પર આવવાની જરૂર છે.