ગુજરાતના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હવે રાજકારણ ભૂલી બોક્ષિન્ગને કરાટે શીખ્યા હોય એમ લાગે છે. રમત ગમત વિભાગ હોવાના લીધે રમતો રમવામાં માહિર થઈ ગયેલા રાજેન્દ્રભાઈએ હવે જાહેરમાં કહેવાનું શરૂ કર્યું છે કે ભાજપની વિરોધમાં કોઈ હોય તો મને ફ્ટકારવાની છૂટ આપો ભલે વિધાનસભાની ટિકિટ ન આપો
ગુજરાતમાં જયારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે રમત ગમતને પ્રોત્સાહન આપવાની વાત કરી ખેલ મહાકુંભ શરૂ કર્યો હતો અલબત્ત એમાં ક્યારેય હિંસક રમતને પ્રોત્સાહન અપાયું ન હતું પરંતુ મોદીના ગયા પછી રમત ગમત પ્રધાને જાણે હિંસાનો એટેક આવ્યો હોય એમ લાગે છે. દિવાળી પાર યોજાયેલા એક સ્નેહ સંમેલનમાં રાજેન્દ્ર ત્રિદેવીને એવું શુરાતન ચઢ્યું કે આપણે ભાજપના કાર્ય્કર્તામાં ચારણની જેમ જોર ચઢાવવા લાગ્યા વડોદરામાં ભાજપના એક મહિલા નેતાના બિલ્ડર સાથેના કથિત સંબન્ધોની પત્રિકા વહેતી થઇ હતી પછી રાજેન્દ્ર ત્રિદેવીમાં જુવાની જોર પકડવામાંડી એમને દિવાળીની મીઠાઈ ખવડાવતાં ખવડાવતાં કાર્યકર્તાને કહી દીધું કે એક જમાનામાં ભાજપના પ્રમુખે મને કહેલું કે ભાજપ વિરુદ્ધ કોઈ વાત હોય તો ફટકારજો હું પણ ભાજપ વિરુદ્ધ કોઈ હોય તો એને ફટકારવા તૈયાર છું.
તોરમાં આવી ગયેલા રાજેન્દ્રભાઇએ તો વળી પાનો ચઢાવતા એમ પણ કહી દીધું કે મને આ વખતે પક્ષ ટિકિટ ન આપે તો વાંધો નહિ ફટકારવાની મંજૂરી આપો રમતગમત ખાતું આવતાજ રમતીયાળ થયેલા રાજેન્દ્ર હવે બ્રાહ્મણના બદલે બહારવટિયા થવા નીકળ્યા છે અને ભાજપ વિરુદ્ધ બોલનારને ફટકારવાની વાત કરે છે આ જોતા એક વાત તો નકકી છે કે આવનારી ચૂંટણી લોહિયાળ થાય તો નવાઈ નહીં