પંજાબમાં મોટી જીત બાદ હવે આમ આદમી પાર્ટીની નજર હરિયાણા પર છે. આ સાથે જ વારંવાર વિવાદોમાં રહેનારા અશોક ખેમકાના આમ આદમી પાર્ટીમાં જોડાવાની પણ ચર્ચા છે. ખેમકા એવા IAS અધિકારી છે જેમની 30 વર્ષની સેવામાં 54 વખત બદલી કરવામાં આવી હતી.આમ આદમી પાર્ટીના સત્રોએ અહેવાલ આપ્યો છે કે ખેમકા અત્યાર સુધી રાજકારણથી દૂર હતા. જો કે તેઓ હરિયાણામાં આમ આદમી પાર્ટીના મુખ્ય સલાહકાર પણ બની શકે છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 2024માં ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ આ અંગે ટ્વિટ કર્યું છે.
અશોક ખેમકા અરવિંદ કેજરીવાલના કોલેજ ફ્રેન્ડ છે. આવી સ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે હરિયાણામાં ખેમકા આમ આદમી પાર્ટીને દિશા આપવાનું કામ કરી શકે છે. આવી સ્થિતિમાં તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થવા માટે IAS ઓફિસર પદ પરથી રાજીનામું પણ આપી શકે છે.
2014માં સામાન્ય ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલે અશોક ખેમકાને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, ત્યારબાદ અશોક ખેમકાએ રાજકારણમાં રસ દાખવ્યો ન હતો. જોકે, સૂત્રોનું કહેવું છે કે ત્યાર બાદ ઘણું બદલાઈ ગયું છે. ખેમકા અને અરવિંદ કેજરીવાલે આઈઆઈટી ખડગપુરમાં સાથે અભ્યાસ કર્યો હતો.