ગુજરાતમાં આગામી 15 ઓક્ટોબર મહિના સુધીમાં વિધાનસભાની ચૂંટણી ગમેત્યારે ડિકલેર થવાની શક્યતાઓ વચ્ચે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં અને આગામી મહિનામાં11 ઓક્ટોબરમાં એમ પખવાડિયામાં બે વખત રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
વડાપ્રધાનના હસ્તે રાજકોટમાં અનેક સ્થળો ઉપર નિર્માણ પામેલા વિકાસ કાર્યોમાં મુખ્યત્વે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અને હોસ્પિટલ,ચોક બ્રિજ સહિતના અન્ય વિકાસ કામોનું પણ મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાની ગણતરી છે.
સપ્ટેમ્બરના અંતમાં મોદીજી આવી ગયા બાદ તેઓ ફરી આગલા મહિને
11 ઓક્ટોબરે વડાપ્રધાનની જામકંડોરણા, ગોંડલ અથવા જેતપુરમાં જાહેરસભા ગોઠવવાનું આયોજન થઈ રહ્યું છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી.
પરંતુ તે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા વડાપ્રધાન મોદીના બન્ને કાર્યક્રમ અંગેની જાણકારી પ્રદેશ ભાજપને આપી દેવામાં આવ્યા બાદ પ્રદેશ ભાજપ દ્વારા આ કાર્યક્રમ માટે તૈયારી શરૂ થઈ હોવાનું મનાય રહ્યું છે.
રાજકોટમાં ભાજપના વિકાસકાર્યો ખાસ કરીને એઈમ્સ હોસ્પિટલ, હીરાસર એરપોર્ટ વગરે મહત્વના હોય બન્ને કાર્યોમાં ઝડપ આવી છે.
વડાપ્રધાન વિકાસના કાર્યો નું ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ છે.