પૃથ્વી ઉપર પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી ગણાવતા રમેશચંદ્ર ફેફરેએ કહ્યુ:-ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણનો અવતાર છે
રાજકોટમાં રહેતા અને સરકારી નિવૃત્ત કર્મચારી એવા પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી અવતાર હોવાનો દાવો કરી રહેલા રમેશચંદ્ર ફેફરે ગુજરાતમાં આવેલા બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણનો અવતાર છે.
ગુરુ દ્રૌણ દુર્યોધનના પક્ષે હતા તેથી તે સવાપાંચ હજાર વર્ષ નર્કમાં રહ્યા બાદ હવે ધીરેન્દ્ર શાસ્ત્રી નામ સાથે પૃથ્વી ઉપર છે.
ગુજરાતમાં આવેલા બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે જગદંબાનો મને આદેશ આવ્યો છે કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે.
ઓશો વિશે કહ્યું કે એ પણ દુઃશાસનનો અવતાર હતો
રાજકોટ શહેરમાં રહેતા એક સરકારી પૂર્વ કર્મચારી રમેશ ફેફર પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર એટલે કે કલ્કી અવતાર તરીકે ઓળખાવે છે. તેમણે આજે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે તેમણે આ નિવેદન આપ્યું છે.