રાજકોટ પંથકમાં ભારે વરસાદ પડતાં ગ્રામ્ય વિસ્તારો તરબોળ બન્યા છે અને ખારચીયા ગામમાં જળ બંબાકાર જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ઘરોમાં ઘૂસતાં ઘરવખરી પલળી ગઈ છે, 15 ઢોર તણાયા હોવાના અહેવાલો વચ્ચે 20 મકાનોની દીવાલ ધરાશાયી થઈ છે.
રાજકોટના ખારચીયા ઉપરાંત હલેન્ડા, ઉમરાડી સહિતના ગામોમાં NDRF અને SDRF ટીમને તૈનાત કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે.
એક વૃદ્ધ પાણીમાં તણાઇ ગયા હતા જેઓને બચાવ લેવાયા છે.
કરમાળ નદી અને કુંભારડી નદી આવેલ છે બન્ને નદીના પાણી ગામમાં ઘુસી ગયા હતા. જયારે ખારચીયા થી રામડીયા ગામ જવાનો રસ્તો બંધ થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડતા સૌથી વધુ અસર રાજકોટ તાલુકા વિસ્તારમાં થવા થઈ છે અને રાજકોટ તાલુકાના ખારચીયા અને હલેન્ડા ગામમાં આઠ ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને લોકોના અનાજ તેમજ કપાસ પલળી ગયા હોવાનું ગ્રામજનોએ મીડિયાની ટીમને જણાવ્યું હતું.