રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણ ઈસમો ઝડપાયા છે.
ATSની ટીમે આ ત્રણેય ઈસમો પાસેથી હથિયારો પણ કબ્જે લીધા છે. ત્રણેય ઈસમો પાસેથી અલ કાયદાની પત્રિકાઓ પણ મળી આવી છે. આ ત્રણેય લોકો ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતા હોવાની વાતનો ખુલાસો થયો છે.
આ ત્રણેય ઈસમો બંગાળી છે અને છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના સોની બજારમાં અંદાજે 60 હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરે છે અને તેઓ આસાનીથી અહીં ઘૂસ મારી અલકાયદા માટે કામ કરી રહયા હતા.
આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.