ભર ઉનાળે પાણીની તંગી નિવારવા સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદાનાં નીર આપવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પાણીની ખેંચ પડે નહીં તે માટે મનપા દ્વારા આજી અને ન્યારીડેમમાં આ યોજના હેઠળ નર્મદાના નીર આપવા થયેલી માંગ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ ન્યારી-1માં 102 MCFT નર્મદાનાં નીર આપવામાં આવ્યા છે અને આગામી સપ્તાહમાં આજીડેમમાં પણ નવા નીર ઠાલવવામાં આવશે.
રાજકોટમાં સૌની યોજનાનું પાણી ન્યારી ડેમમાં આવી રહ્યું છે અને 102 MCFT પાણીની આવક થઇ છે. મનપાનાં વોટર વર્કસ વિભાગના જણાવ્યા મુજબ રાજય સરકાર પાસે આજી-1 તેમજ ન્યારી-1 ડેમ માટે સૌની યોજનાનું પાણી આપવા રજુઆત થઈ હતી, જે મુજબ તાજેતરમાં ન્યારીમાં પાણીની આવક શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 102 MCFT પાણી ઠલવાઇ ચૂક્યું છે. જ્યારે આજી-1 ડેમમાં આગામી સપ્તાહથી સૌની યોજનાનું પાણી આપવામાં આવશે.