રાજ્યમાં NSUI દ્વારા બેરોજગાર દિવસ મનાવવા સાથે વિરોધ થઈ થયાના અહેવાલો વચ્ચે રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે NSUI દ્વારા બેરોજગારી મુદ્દે ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
NSUIના કાર્યકરોના જણાવ્યા મુજબ એન્જિનિયર, Ph.D સુધી અભ્યાસ કરેલા શિક્ષિત યુવાનોને જોબ નહિ મળતા આવા શિક્ષિત યુવાનોએ પટ્ટાવાળાની નોકરી માટે પણ ફોર્મ ભર્યા છે.
વર્ગ 4 અને વર્ગ 3ની નોકરી કરવા તૈયાર છે. દિશા વિહીન સરકારની નીતિએ બેકારીની સ્થિતિ ઉભી કરી છે.
કેન્દ્ર સરકારમાં 10 લાખ પદ ખાલી પડ્યા છે. જે કુલ મંજૂર પદોના 24 ટકા છે. જે અતિ ગંભીર સમસ્યા છે. 20થી 24 વર્ષના 42 ટકા યુવાનો હજુ નોકરીની શોધમાં છે.
આવી જ રીતે દેશની સુરક્ષા કરવા માંગતા યુવાનો માટે અગ્નિપથ જેવી હંગામી યોજનાઓ લાવવામાં આવી છે જેની સામે પણ વિરોધ છે.
ઉપરાંત કોઈ પણ પ્રકારની જોબમાં સિક્યોરિટી કે પેન્શન યોજના જોવા મળતી નથી. અત્યારે કોન્ટ્રેક્ટ બેઝ અગ્નિવીર યોજના લાવવામાં આવી આગળ જતા પોલીસવીર, બેન્કર વીર, શિક્ષક વીર, પ્રોફેસર વીર જેવી અનેક યોજના લાવવાની શક્યતા રહેલી છે. દેશના યુવાનોને મન કી બાત નહીં રોજગારીની જરૂર છે. જેના સંદર્ભમાં આજે દેશની વધતી બેરોજગારીને લઇ તેનો વિરોધ કરવા આજે આંદોલનના ભાગરૂપે બેરોજગાર દિવસ મનાવાઈ રહ્યો છે.