રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે અને છેલ્લા 6 દિવસજમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.
રાજકોટ શહેરમાં શરદી-ઉધરસના 314, સામાન્ય તાવના 56 અને ઝાડા-ઉલટીના 206 જેટલા દર્દીઓ નોંધાયા છે.
છેલ્લા 1 મહિનામાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવેતો ડેન્ગ્યૂના 30, મેલેરિયાના 12, ચિકનગુનિયાના 5, શરદી-ઉધરસના 9 હજાર 177, સામાન્ય તાવના 1 હજાર 209 ઝાડા-ઊલટીના 2 હજાર 943 કેસ નોંધાયા છે.
રોગચાળા પર કાબુ મેળવવા મનપા દ્વારા કુલ 71,369 ઘરોમાં પોરાનાશક અને 899 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. તેમાં પુરૂષાર્થ સોસાયટી, મવડીગામ, પટેલ શેરી તથા બાપાસીતારામ ચોક પાસેનો વિસ્તાર, દ્વારકેશ સોસાયટી, વોકહાર્ડ હોસ્પિટલ પાસેનો વિસ્તાર, દિવ્ય સિઘ્ઘી પાર્ક, અમરજીતનગર, યોગેશ્વર સોસાયટી, વસુઘા સોસાયટી, સદભાવના સોસાયટી, શ્રીજી સોસાયટી, ડ્રીમ સીટી (કનકોટ રોડ), રજપુતપરા, સરદાર પટેલ, પલંગ ચોક શાળા નં. 51 લક્ષ્મીવાડી મેઇન રોડ તથા પેટા શેરીઓ, લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ, લક્ષ્મીવાડી ત્રણ માળીયા કવા., કડવીબાઇ સ્કુલ તથા આસપાસનો વિસ્તાર, ગોકુલઘામ સોસાયટી વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
બીજી તરફ ડેંગ્યુ અટકાવવા મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય 540 પ્રીમાઇસીસમાં તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 331 અને કોમર્શિયલ 97 આસામીને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ લોકોને વરસાદી પાણીનો નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે.