આજે વહેલી સવારે રીબડાના મહિપતસિંહ જાડેજાનું અવસાન થતાં ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
સૌરાષ્ટ્રના રિબડામાં રાજકારણનું મોટું અને નામ ધરાવતા અને ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ચૂંટાયા બાદ ગોંડલથી ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ક્ષત્રિય સેનાની સ્થાપના કરી તેઓ પ્રમુખ પણ બન્યા હતા.
માજી ધારાસભ્યની સાથે મહિપતસિંહ જાડેજા ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમના નિધનથી ગુજરાત-સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિપતસિંહ જાડેજાએ અગાઉ પોતાના 83મા જન્મ દિવસે પોતાના જીવતા મરસિયા કાર્યક્રમ રાખી ભારે ચર્ચામાં આવ્યા હતા આ કાર્યક્રમ ગોંડલના રીબડા ખાતે 24મે 2019ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસાહિત્યના 12 જેટલા કવિઓએ મહીપત સિંહના મરસિયા ગાયા હતા આ સમયે મહિપતસિંહ જાડેજાએ રીબડાની તમામ જ્ઞાતિની 111 દિકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું.
તેઓએ ગિરાસદારો માટે લડત આપી હતી પરિણામે તેઓ ક્ષત્રિય સમાજમાં અનેરું સ્થાન ધરાવતા હતા.
રિબડાનું માથું ગણાતા મોભાદાર મહીપત સિંહ જાડેજાના નિધન થતા ક્ષત્રિય સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.