સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.Dની પ્રવેશ પરીક્ષા જાહેર કરવામાં આવી છે અને આગામી તા. 8 અને 9 ઓક્ટોબર એમ બે દિવસ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા કુલ 25 વિષયમાં Ph.Dની 124 જગ્યા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવનાર છે. આ માટે કુલ 1100થી વધુ ફોર્મ ભરાયા છે.
જેમાં સૌથી વધુ કોમર્સમાં 20 જગ્યા સામે 225, અંગ્રેજીમાં 7 સામે 95, કેમેસ્ટ્રીમાં 7 સામે 83, ગુજરાતીમાં 6 સામે 61, માઈક્રોબાયોલોજીમાં 9 સામે 56, સોશિયલ વર્કમાં 2 સામે 51 સહિત 25 વિષયમાં બમણા ફોર્મ ભરાયા છે. સાથે જ ફિઝિકલ એજ્યુકેશનની 4, પોલિટિકલ સાયન્સની 3 અને કાયદાની 2 સીટનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
પ્રવેશ પરીક્ષા પાસ કરી હોય તેને મેરીટ ટેસ્ટ આપવાની રહેશે.