રાજકોટમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે.અને બાળકોના ટપોટપ મોત પર ભાજપના ધારાસભ્યનું બેજવાબદાર નિવેદન સામે આવ્યુ છે. રાજકોટ દક્ષિણ બેઠકથી ધારાસભ્ય ગોવિંદ પટેલે નિવેદન આપ્યુ છે કે, જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે. બિમારી તો નિમિત બનતી હોય છે.
રાજકોટમાં તાવના કારણે એક જ દિવસમાં બે–બે બાળકોના મોત થયા છે..ઘરના કુલદિપકના મોત પર પરિવારજનો આંસુ સારી રહ્યા છે. અને ભાજપના ધારાસભ્યની ઊંઘ ઉડી નથી.એટલુ પુરતુ નથી. પરંતુ તેઓ રાજ્યસરકારમાં પ્રધાન પદે પણ રહી ચુક્યા છે. અને તેમ છતાં જીવન મરણ ભગવાનના હાથમાં હોવાનું નિવેદન આપ્યું છે.