રાજકોટ નજીક આવેલા માળિયા હાટીના પાસેના ધુમલી ગામના વતની 26 વર્ષીય મંજુલા જીલાભાઇ વાળા નામની યુવતીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં દરમિયાન મૃત્યુ થયું હતું.
આત્મહત્યા પાછળના કારણમાં ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી જેમાં તેણે એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં જોબ મળતી ન હતી અને ત્યારબાદ પોલીસમાં ટ્રાય કરી ત્રણ વખત પીએસઆઇની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં ઓછા માર્કસ આવતા પીએસઆઇ બનવાનું સ્વપ્ન સાકાર નહીં થતાં હતાશામાં આવી જઇ અંતિમ પગલું ભરી લીધું હતું.
મંજુલા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને ભાઈ પોલીસ કોન્સ્ટેબલ હોવાથી પોતે પણ પોલીસ વિભાગમાં જવા માંગતી હતી પણ પીએસઆઇ બની નહિ શકતા જોકે,નિરાશા ઘેરી વળતા આવું પગલું ભર્યું હતું.
પીએસઆઇ બનવા માટે ત્રણ ત્રણ વખત પરીક્ષા આપી હતી, પરંતુ સફળતા નહીં મળતા હતાશામાં પગલું ભરી લીધું હતું.ધુમલી ગામે રહેતી મંજુલા જીલાભાઇ વાળા (ઉ.વ.26)એ ત્રણ દિવસ પૂર્વે પોતાના ગામમાં વાડીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને રવિવારે તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મંજુલા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને તેણે એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો હતો, ત્રણ વખત પીએસઆઇની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં ઓછા માર્કસ આવતા પીએસઆઇ બનવાનું સ્વપ્ન સાકાર નહીં થતાં હતાશામાં અંતિમ પગલું ભરી લીધું હતું, મંજુલાનો ભાઇ પોલીસ કોન્સ્ટેબલ છે, બનાવથી વાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.