Sawan 2025: શ્રાવણમાં પિતૃદોષથી મુક્તિ મેળવવાના સરળ ઉપાય

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
3 Min Read

Sawan 2025:આ શ્રાવણ, પિતૃદોષથી મુક્તિ મેળવવાની રીત જાણો

Sawan 2025: શ્રાવણ મહિનો એ ભગવાન શિવની ભક્તિનો સમય છે, જેમાં દરેક વ્યક્તિ ભગવાન શિવનો જલાભિષેક કરે છે. આ મહિનો પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો તમને જણાવીએ કે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ.

Sawan 2025: ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ 11 જુલાઇથી શરૂ થઇ ગયો છે અને તેનો પ્રથમ સોમવાર 14 જુલાઇના રોજ છે. શિવભક્તો શ્રાવણ માસ માટે ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવલિંગ પર માત્ર બેલપત્ર અને જલાભિષેક કરવાથી બધા પાપ નષ્ટ થઇ જાય છે અને ભોલેનાથ બધાની મનોકામનાઓ પૂરી કરે છે.

- Advertisement -

જ્યોતિષ મુજબ, શ્રાવણનો મહિનો પિતૃદોષથી મુક્તિ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ મહિને કેટલાક ખાસ ઉપાય કરીને તમે મહાદેવ અને પિતરોનું આશીર્વાદ મેળવી શકો છો. ચાલો જાણીએ શ્રાવણ માસમાં પિતૃદોષથી મુક્તિ માટે કયા ઉપાય કરવાં જોઈએ.

Sawan 2025

- Advertisement -

શ્રાવણમાં પિતૃદોષના ઉપાય

શ્રાવણમાં ભોલે નવઠાને ગંગાજળ અર્પણ કરવું સૌથી શુભ માનવામાં આવે છે. માતા ગંગા ભગવાન શિવની જટાઓમાંથી વહે છે, એટલે તેમનું જળ શિવજીને ખુબ જ પ્રિય હોય છે. પિતૃદોષથી મુક્તિ માટે શિવલિંગ પર ગંગાજળ ચઢાવો. આવું કરવા થી જીવનમાં સકારાત્મક પરિણામો મળે છે.

શ્રાવણમાં દરરોજ સવારે અને સાંજે ભગવાન શિવના પ્રસિદ્ધ બીજમંત્ર ‘ૐ નમઃ શિવાય’ નો જાપ ૧૦૮ વખત રૂદ્રાક્ષની માલા વડે કરવો જોઈએ. કહેવાય છે કે શ્રાવણ માસમાં આ મંત્રનો જાપ કરવાથી માત્ર શિવ કૃપા જ નથી મળતી, પણ પિતરોની પણ કૃપા થાય છે, જેના કારણે પિતૃદોષ દૂર થાય છે.

શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું ખુબ શુભ માનવામાં આવે છે. શ્રાવણમાં શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે ‘ૐ ગંગે નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. માતા ગંગાનો આ મંત્ર જળની પવિત્રતા માટે ખુબ જરૂરી છે અને આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ સાથે માતા ગંગા અને પિતરોની કૃપા પણ બને રહેશે.

- Advertisement -

Sawan 2025

શ્રાવણ દરમિયાન પિતરોનો આશીર્વાદ મેળવવા માટે ‘ૐ પિતૃભ્ય નમઃ’ અને ‘ૐ પિતૃદેવતાયૈ નમઃ’ મંત્રનો જાપ સવારે અને સાંજે કરવો જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ આ મંત્રોનો જાપ કરવાથી પૂર્વજોની આત્માને શાંતી મળે છે અને કુંડળીમાં રહેલો પિતૃદોષ પણ દૂર થાય છે. સાથે જ જીવનમાં આવતી તમામ અડચણો પણ દૂર થાય છે.

જ્યોતિષ મુજબ શ્રાવણમાં માતા ગંગાના ૧૦૮ નામોનો જાપ કરવાથી અનેક પ્રકારના દોષ દૂર થાય છે. શ્રાવણ સોમવારે માતા ગંગાના ૧૦૮ નામોનો પાઠ કરીને શિવલિંગ પર જળ અર્પણ કરવાથી પુણ્યનું ફળ મળે છે.

TAGGED:
Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.