સુરત : આઝાદી પહેલાથી નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવતી ઝમીઅતે – ઉલમાં- એ હિન્દ નામની સંસ્થા દ્વારા આજ રોજ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.લઘુમતી ,દલિત સહિત ગરીબ વર્ગના લોકો સરકારી લાભોથી વંચિત રહયા છે…જેને લઈ તેઓને આ તમામ લાભો મળે તેવા અશ્રયથી આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી.
સંસ્થાના જનરલ સેક્રેટરી અબ્દુલ હકીમ હક્ક ના જણાવ્યાનુસાર દેશમાં ટોળશાહીનો આ વર્ગના લોકો ભોગ બની રહયા છે.દેશના વડાપ્રધાન વિકાશની વાતો કરે છે,પરંતુ દેશના ગરીબ વર્ગના લોકોને સરકારી હોસ્પિટલોમાં કોઈ પણ પ્રકારની યોગ્ય સુવિધા કે સારવાર નથી મળી રહી.જેને લઈ તેઓ મોતને ભેટી રહ્યા છે.દલિત સમાજ હોય કે પછી લઘુમતી દરેક સર્વધર્મ અને ભાઈચારાથી રહેતા આવ્યા છે.આ વર્ગના લોકોને પણ પોતાના મળવાપાત્ર હકો નથી મળી રહ્યા.સરકારી લાભો અને યોજનાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે.લોકોને આ તમામ હક્કો મળી રહે તેવા ઉદેશથી આજ રોજ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુવાત કરવામાં આવી છે.