સુરત: પુનાગામ વિસ્તારમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…આ સાથે કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો પાસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.જ્યા પાસ કન્વીનર અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હત.ઋત્વિજ પટેલે ઘટના પાછળ કોંગ્રેસનો હાથ હોવાના આક્ષેપ કર્યા હતા.
સુરત કામરેજ વિધાનસભા પુનાગામ સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ ની આગેવાનીમાં શનિવારના રોજ વિજય ટંકાર યુવા સંમેલન નું આયીઅજ કરવામાં આવ્યું હતું..જ્યા ઋત્વિજ પટેલે યુવા મોરચાના કાર્યકર્તાઓને સબોધયા હતા.મીડિયા સાથેની વાતચીત દરમ્યાન ઋત્વિજ પટેલે જણાવ્યું કે પાટીદારો ભાજપની સાથે છે..જે કાંઈ થઈ રહ્યું છે ,તે પાછળ કોંગ્રેસનો હાથ છે..
ઋત્વિજ પટેલના આ નિવેદન સામે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ પણ આકરા શબ્દોમાં વાર કર્યા હતા.કોંગ્રેસી કોર્પોરેટરે જણાવ્યું કે ,ઋત્વિજ પટેલ પાટીદારોને ઉશ્કેરવાનું કામ કરી રહયા છે. સભા કે કાર્યક્રમો કરવા અનેક સ્થળો છે.મુખ્યમંત્રી પણ આ વિસ્તારમાં કોઈ કાર્યક્રમ અથવા સભા નથી કરતા,તો પછી ઋત્વિજ પટેલ શા માટે પાટીદારોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસ સામે આક્ષેપ કારવાને બદલે પાટીદારોના મનમાં જગ્યા બનાવે તો ઘણું છે.
પુનાગામ સ્થિત સૌરાષ્ટ્ર સમાજની વાડીમાં ભાજપ યુવા મોરચાના વિજય ટંકાર યુવા સંમેલનના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ ઋત્વિજ પટેલો પાસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા તેમજ ધાર્મિક માલવીયા સહિત પંદરથી વધુ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. દરમ્યાન મામલો થાળે પાડવા પોલીસ વચ્ચે પડી ,જ્યા પાસ કન્વીરો અને પોલીસ વચ્ચે રીતસરનું ઘર્ષણ સર્જાયું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે 0અઅઅ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વચ્ચે આ ઘર્ષણ સર્જાયું હતું. જ્યાં બાદમાં તમામની અટકાયત કરી લીંબાયત પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. મોડી રાત્રે પાસ કન્વીનરોને છોડાવવા પાટીદારોનો મોટો જમાવડો પોલીસ મથક બહાર જોવા મળ્યો હતો. આ સાથે કોંગ્રેસના કોર્પોરેટરો પણ ત્યાં દોડી આવ્યા હતા અને તમામને મુક્ત કરવાની માંગ કરી હતી. ફરી કોઈ કાંકરીચાલો ન થાય તેને ધ્યાનમાં લઈ પોકિસ મથક બહાર ચુસ્ત પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.