અમદાવાદ સૌથી વધુ કોરોનાનું સુપર સ્પ્રેડર બની રહ્યું છે ત્યારે હાલ સરકારે રાજ્યમાં કેટલાક પ્રતિબંધ લડી દીધા છે એક બાજુ કોરોનાના કેસ અને બીજી તરફ નિયંત્રણોને કારણે શ્રમિકોમાં લોકડાઉનનો ભભડ઼ાટ જોવા મળી રહયો છે એવામાં સુરતમાં રહેતા સ્થળાંતર કામદારોએ વતનની વાટ પકડી છે. સુરત રેલવે સ્ટેશન પર શ્રમિકો પોતાના વતન પાછા જવા માટે મોટી સંખ્યામાં વધારો થયો છે કોરોનાની પહેલી અને બીજી લહેર પછી જેમ શ્રમિકો પોતાના વતને પરત ફરવા મજબૂર બન્યા હતા તેવી જ સ્થિતિ હવે ફરીથી જોવા મળી રહી છે
સુરત રેલવે સ્ટેશન પર ઘણા શ્રમિકો એવા છે કે લોકડાઉનના ભયથી તેઓ પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. તો કેટલાક શ્રમિકોને મિલમાલિકો 1 જાન્યુઆરીથી નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનો પણ શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો. કોરોનાના કેસો વધતાં શહેરમાં અનેક મિલમાલિકો શ્રમિકોને નોકરી પર આવવાની ના પાડી રહ્યા છે. આ અને લોકડાઉનના ભયથી શ્રમિકો પલાયન કરવા પર મજબૂર થઈ ગયા છે.ઉત્તરપ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ખીચોખચ શ્રમિકો જઈ રહ્યા છે મુંબઈ રેલવે સ્ટેશન પર પલાયન થઈ રહેલા શ્રમિકોની દયાજનક સ્થિતિ જોંવા મળી છે સતત વધી રહેલા કોરોના કેસ અને ત્રીજી લહેરમાં લોકડાઉનને કારણે મુંબઈ બાદ હવે સુરતમાં પણ પલાયન શરૂ થઈ ગયું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે ઉત્તરપ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ઠબોઠબ શ્રમિકો જઈ રહ્યા છે. તો મૂળ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોથી શ્રમિકો રોજગારી માટે સુરત આવે છે. ત્યારે શહેરમાં કોરોનાના કેસ વધતાં મિલમાલિકો શ્રમિકોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી રહ્યા છે એવામાં શ્રમિકોની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે આ તરફ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અગાઉ ચોખ્ખું જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે કોઈ લોકડાઉન લગાડવામાં નહીં આવે. તેમ છતાં સુરતથી શ્રમિકો લોકડાઉન ના ભયથી ફરીથી પોતાના વતન જવા શરૂઆત કરી દીધી છે ઉલ્લેખનીય છે કે દેશનાં અન્ય રાજ્યોથી લાખોની સંખ્યામાં ગુજરાતના સુરત શહેરમાં શ્રમિકો ટેકસટાઈલમાં મજૂરી કરવા આવે છે.
પહેલી લહેરમાં લોકડાઉનના કારણે શ્રમિકોને ખાવાપીવા ના પણ ફાંફા પડી ગયા હતા. ત્યારે સ્થિતિ વણસી હતા. ત્યારબાદ બીજી લહેરમાં કોરોના સંક્રમણના કારણે સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા એટલી હદે વધી ગઈ હતી કે સુરત શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં પથારીઓ ફુલ થઇ ગઈ હતી સિવિલ હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટર ઉપલબ્ધ થશે કે કેમ તે એક હવે મોટો સવાલ હતો જે જુલાઈ મહિનામાં સ્થિતિ થોડી સામાન્ય થવા છતાં પણ શ્રમિકો પરત સુરત આવવા માટે ડરી રહ્યા હતા.સુરતમાં ટેક્સટાઈલ સહિતના અનેક મોટા ઔદ્યોગિક એકમોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી રોજગારી મેળવવા માટે લાખોની સંખ્યામાં લોકો સુરતમાં રહે છે. પહેલી અને બીજી લહેરમાં પરપ્રાન્તીયની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ હતી. તેઓ પોતાના માદરે વતન જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. રતના ડીંડોલી, ગોડાદરા, ઉધના, પાંડેસરા વિસ્તારમાં માટે સંખ્યામાં પરપ્રાન્તીયો રહે છે.