સુરત:
સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના ત્રીજા માલની ગેલેરીનો ભાગ આજ રોજ મોડી સાંજે ધડાકાભેર સાથે તૂટી પડતા ફ્લેટધારકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો..સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી….ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટિમ પણ સ્થળ પર દોડી આવી હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી…..
અડાજણ સ્થિત પાલનપુર પાટિયા નજીક સરસ્વતી વિધાલય આવેલી છે.. વિદ્યાલયની સામે જ જીવનદીપ કોમ્પ્લેક્સ નજીક સ્નેહ સરિતા એપાર્ટમેન્ટ પણ આવેલુ છે….વર્ષો જૂના એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીનો ભાગ મોડી સાંજે ધડાકાભેર સાથે તૂટી પડ્યો હતો…..ગેલેરીનો ભાગ તૂટી પડતા ફ્લેટ ધારકો તાત્કાલિક ઘરોની બહાર દોડી આવ્યા હતા…ત્રીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડતા ફ્લેટધારકોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો….. ઘટના ની જાણ થતા ફાયરની ટિમ પણ સ્થળ પર દોડી આવી હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી…સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની કે નુકશાન ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી…જેને લઈ સ્થાનિક લોકો અને ફાયરે પણ રાહતનો સ્વાસ લીધો હતો…