સુરત : મહિધરપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરો ના વધી રહેલા ઉપદ્રવ વચ્ચે લોકો ચિકન ગુણીયાના રોગમાં સપડાય રહ્યા છે.મનપા તંત્રને વારંવાર રજુવાત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા આખરે લોકોનો ગુસ્સો ચોથા આસમાને જોવા મળ્યો હતો.લોકોએ ઘરોની બહાર બેનર લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.કોઈ પણ રાજકીય નેતાઓએ અહીં મત માટે ભીખ માંગવા આવવું નહીં તેવા શબ્દનો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વીઓ : મહિધરપુર વિસ્તારમાં આવેલ મોટી શેરીમાં છેલ્લા પંદર દિવસથી મચ્છરોનો મોટા પાયે ઉપદ્રવ હોવાની ફરિયાદ સ્થાનિક લોકો ધ્વરા કરવામાં આવી છે.શેરીમાં આવેલ વિસ વર્ષ જુના બંધ મકાનમાં વરસાદી પાણી ભરાવાના કારણે આ સમસ્યા ઉદ્દભવી હોવાની વાત સ્થાનિકોએ કરી હતી.સ્થાનિકોના જણાવ્યાનુસાર મનપા તંત્રને અનેકવાર લરખિતમાં રજુવાત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું.જેને લઈ મચ્છરોના ઉપદ્રવથી લોકો ચિકનગુનિયા જેવા રોગના વાવરમાં સપડાઈ રહ્યા છે.લોકોના આરોગ્ય સામે પણ સવાલ ઉભા થયા છે.દરમ્યાન રોષે ભરાયેલા લોકોએ ઘરોની બહાર જ બેનર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.શેરીમાં કોઈ પણ રાજકીય નેતાઓ એ મત ની ભીખ માંગવા આવવું નહીં તેવા શબ્દનો બેનરમાં ઉલ્લેખ કરાયો હતો.