સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર કામદારોના મોત થયા હોવાના અહેવાલ છે.
કેમિકલ વાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું હોવાની વાત સામે આવી છે.
સ્થાનિક પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી છે.
મૃતકના મૃતદેહ કીમની સાધના હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતાં મામલતદાર તેમજ GPCBની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને હવામાં ફેલાયેલા પ્રદૂષણને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનામાં મોહંમદ પટેલ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.
આજરોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી. કેમિકલના ગોડાઉનમાં પાંચ લોકો કામ કરી રહ્યાં હતા અને કેમિકલ ડ્રમ ભરેલા ઢાંકણ ખોલતાજ ઝેરી ગેસ પ્રસરતા ચાર લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ બેભાન થઈ ગયો હતો.
આ ઘટનામાં ઈમ્તિયાઝ પટેલ (ઉં.વ.45),આમીન પટેલ, (ઉં.વ.22)અરુણ વસાવા, (ઉં.વ.22)
રઘા રામજી (ઉં.વ.54)ના મોત થયા છે.
મૃતકના એક ભાઈ અલ્તાફ અઝીઝ શેખના કહેવા મુજબ કેમિકલ ડ્રમ ખોલતા બ્લાસ્ટ થયો હતો.