સમગ્ર દેશમાં કન્જક્ટિવાઇટિસના કેસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા હોય તંત્ર દ્વારા લોકોને જાગૃતિ કેળવવા સમજ અપાઈ રહી છે ગુજરાતમાં સુરતની વાત કરવામાં આવે તો અહીં સિવિલ-સ્મીમેરની ઓપીડીમાં રોજના સેંકડો કન્જક્ટિવાઇટિસના દર્દીઓ આવી રહ્યા છે.
સુરતમાં કન્જક્ટિવાઇટિસે નવું સ્વરૂપ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
સામાન્ય કન્જક્ટિવાઇટિસ 4થી 5 દિવસમાં સારું થઈ જાય છે. જો કે ઘણા કેસમાં સાજા થવામાં 10 થી 15 દિવસનો સમય લાગે છે.
ડોક્ટરો દ્વારા તેને હેમરેજિક આઇ ફ્લૂ કહેવામાં આવી રહ્યું છે.
જેમાં આંખોના એક ખૂણામાં કે એક ભાગમાં લાલ નિશાન રહે છે.
ડૉક્ટરનું કહેવું છે કે 50માંથી 10 દર્દીઓ હેમરેજિક આઇ ફ્લૂના આવી રહયા છે.
રોજના આવા સુરતમાં 150થી 200 કેસ નોંધાઈ રહ્યા છે.
આવા કેસમાં આંખના હેમરેજનું જોખમ રહેલું છે જેમાં આંખોના ભાગમાં લાલ ડાઘ રહે છે. રક્તવાહિનીઓ ફાટી જાય છે.
જેથી તે હેમરેજ જેવું થઈ જાય છે. વાઇરસ જેટલો વધુ તીવ્ર હોય છે, તેટલું જ આંખનું હેમરેજનું જોખમ રહેલું છે.
આ માટે દર્દીઓને સાવચેતી રાખવા જણાવવામાં આવી રહ્યું છે.