રાજ્ય માં વધી રહેલા કોરોના ના કેસ વચ્ચે આરોગ્ય વિભાગ ચિંતા માં છે અને દેશના અન્ય કેટલાક રાજ્યો માં ભીડ નહિ કરવા કડક આદેશ અપાયા છે ત્યારે ગુજરાત માં પણ નાઈટ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે આ બધા વચ્ચે સરકાર ભીડ વાળા કાર્યક્રમો યોજી રહી છે.
સરકાર સુરતમાં ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ કાર્યક્રમ કરવા જઈ રહી છે, જેમાં આજે રવિવારે સવારે 7000થી વધુ લોકો સાઇલોથોનમાં જોડાશે.
સુરતમાં મુખ્યમંત્રીની હાજરીમાં સાઈક્લોથોન યોજાનાર હોય મોટી સંખ્યા માં લોકો હાજર રહેશે
પણ સંક્રમિત આવતા કોરોના સ્પ્રેડ થવાનું જોખમ ઉભું થયું છે.
આમ રાજ્ય માં વધતા કોરોના ના પ્રભાવ વચ્ચે આ કાર્યક્રમ લોકો માં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન મહાવીર કોલેજ, ભરથાણા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ સાયક્લોથોનને સવારે 7:30 કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવશે, જેમાં અંદાજે 7000 લોકો ભેગા થશે. સવારે 8:30 વાગ્યે સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીનું પૂજનઅર્ચન કરી‘નદી ઉત્સવ’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે સવારે 10:00 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે પાલિકા તથા સુડાના કુલ રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. 12 વાગ્યે વક્તાણા ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ, સી-4 પ્રોજેક્ટ સેક્શન અને ભાટિયા ટોલ પ્લાઝા ખાતે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની મુલાકાત લેશે.