-સરકારી તંત્ર જીપીસીબી બેફિકર હોવાનું સામે આવી રહ્યું છે
–સુરતમાં પર્યાવરણનું નખ્ખોદ વાળનારાઓને કોણ છાવરી રહ્યું છે?
-પાંડેસરા જીઆઈડીસીના સીઈટીપીના મુખ્ય ચેરમેન નારાયણ પ્રોસેસર્સના જીતુભાઈ વખારીયા અને પાંડેસરા જીઆઈડીસીના કમલવિજય તુલશ્યાન આ મામલે જનતાને જવાબ આપે!
સુરતની જીવનજ્યોત ખાડીમાં છોડવામાં આવી રહેલું ગંદુ પાણી પર્યાવરણનું નખ્ખોદ વાળી રહ્યું છે છતાં સબ સલામતની પીપુડી વગાડવામાં આવી રહી છે.
પાંડેસરાના સીઈટીપી પ્લાન્ટથી થોડા અંતરેજ પસાર થઈ રહેલી જીવન જ્યોત ખાડીમાં પાંડેસરા જીઆઇડીસી સ્થિત કેટલાક એકમો બિન્દાસ અને ખુલ્લેઆમ ઝેરી પાણી ખાડીમાં છોડી રહયા છે.
કેમીકલ યુનિટો અને સીઈટીપી પ્લાન્ટના જવાબદારો શંકાના પરિઘમાં રહયા છે છતાં સરકારી તંત્ર જીપીસીબી તપાસ કરવામાં નિષ્ફળ જોવા મળી રહ્યું છે.
કેમીકલયુક્ત પાણી છોડાવા મુદ્દે અગાઉથી ફરિયાદ થઈ ચૂકી હોવા છતાં હજુપણ કાયમી કોઈ ઉકેલ આવ્યો નથી અને પરિસ્થિતિ ઠેરનીઠેર રહેવા પામી છે.
પાંડેસરા જીઆઈડીસીના સીઈટીપીના મુખ્ય ચેરમેન નારાયણ પ્રોસેસર્સના
જીતુભાઈ વખારીયા અને પાંડેસરા જીઆઈડીસીના કમલવિજય
તુલશ્યાન આ મામલે કેમ ચૂપ છે?અથવા પ્રદૂષણ માટે કોને જવાબદાર ગણી શકાય? તે વાત હવે તપાસનો વિષય છે.
પાંડેસરા જીઆઈડીસીના પાંડેસરાના એકમો અથવા પાંડેસરાના સીઈટીપી પ્લાન્ટમાંથી ડાયરેક્ટ ટ્રીટ કર્યા વિનાનું પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે તે મામલે કોણ તપાસ કરશે?
પર્યાવરણની ઘોર ખોદનાર તત્વો સામે સરકારી વિભાગ કેમ લાચાર છે? તે વાત પણ તેટલીજ ચર્ચાસ્પદ બની છે.
સત્યડે ગાંધીનગરમાં બેઠેલા જવાબદાર સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ મામલે પૂછે છે કે આ મામલે કોણ તપાસ કરશે?જેનો જનતાને જાહેરમાં જવાબ આપે!
પાંડેસરા જીઆઇડીસીમાં 100થી વધુ ડાઈંગ મીલો તેમજ 45 જેટલા કેમિકલ યુનિટો આવેલા છે ત્યારે ટ્રીટ કર્યા વગર સીધો ખાડીમાં કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવાના પ્રકરણમાં એકમો જવાબદાર છે? કે પછી જીઆઈડીસીના સીઈટીપી જવાબદાર છે ? તે અંગે કોણ તપાસ કરશે ?તે કામ કોનું? વગરે સવાલોના જવાબો અધ્ધર રહયા છે ત્યારે હવે આ પ્રકરણ શુ રંગ લાવે છે તેતો સમયજ કહેશે.