સુરતમાં આર્થિક સંકણામણથી ત્રાસી જઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાના પ્રયાસમાં પહેલા એકનું મોત થયા બાદ પુત્ર અને પુત્રીના પણ મોત થતા મૃત્યુઆંક ત્રણ થયો છે.
સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા(ઉં.વ.55)હીરાના કારખાનામાં કામ કરે છે.
બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા.
જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નીપજ્યું હતું.
બાદમાં સેનિતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે પુત્ર ક્રિશે પણ દમ તોડી દેતા મૃત્યુઆંક ત્રણ થયો છે,પુત્ર હાલમાં જ ધો.12માં પાસ થયો હતો
વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય અને હાલમાં હીરામાં મંદી ચાલી રહી છે. આથી આર્થિક સંકડામણના કારણે તેમણે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની વાત સામે આવી રહી છે.
આ પરિવારમાં મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે.