સુરતમાં અદ્યતન ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયો છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે.
દરમિયાન ડાયમંડ બુર્સની કમિટીના સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
જોકે,હજુ ઉદ્ઘાટન માટેની તારીખ ફાઇનલ થઈ નથી.
સુરતના સભ્યોએ અડધો કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી વાતચીતમાં બુર્સની જે પણ ખાસિયતો છે તેની માહિતી વડાપ્રધાનને આપવામાં આવી હતી ઉપરાંત આ ઉદ્યોગ વિદેશ સાથે સંકળાયેલો હોવાથી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે સફળ કરવા માટે અને સીધી વિદેશમાં જવા માટેની ફ્લાઈટો શરૂ કરવા માટેનું આયોજન ખૂબ જ જરૂરી છે. એ બાબતે વડાપ્રધાન સમક્ષ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો મુદ્દો ખાસ રાખવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચના આપ્યા બાદ એવીએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મળી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મામલે રજૂઆત કરી હતી.
આ વખતે સીઆર પાટીલ પણ હાજર રહયા હતા.