સુરતમાં ભારે વરસાદ પડતાં અનેક જગ્યાએ રસ્તા તૂટી ગયા છે પરિણામે ખાડાઓમાં પાણી ભરાઇ જતા ખાડાનો ખ્યાલ નહિ આવતા અનેક વાહન ચાલકો હેરાન થઈ રહયા છે અને વાહન ખર્ચ વધ્યો છે.
સુરતમાં તંત્ર દ્વારા આ વર્ષે નવા રસ્તાઓ અને મરામત પાછળ રૂ.700 કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં પહેલા વરસાદમાં જ રસ્તા તૂટી ગયાનું સામે આવ્યું છે.
ખાસ કરીને દિલ્હીગેટ, અમરોલી અને વેડમાં નવા બનેલા રસ્તાઓ ખાડા બની ગયા છે જોકે નવા રોડ તૂટે તેમાં મનપાને ચિંતા નથી કેમકે ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ માં રસ્તા તુટ્યાં છે તેથી કોન્ટ્રાક્ટર જ રસ્તાનું રિપેરિંગ કામ કરશે પણ બાકીના રસ્તાનું શુ?
જ્યાં કામ કરવાનું હોય ત્યાં કોન્ટ્રાક્ટરો રિપેરિંગ કરી દેતાં હોય છે, પરંતુ 3 વર્ષ બાદ ડીએલપી પુરી થઈ જતાં તેઓ છટકી જાય છે અને તે પછીની જવાબદારી સીધી પાલિકા ઉપર આવતી હોય ત્યારે નવા રસ્તા વધુ ટકતાં નથી હોતા અને પાલિકાને રિપેરિંગ ખર્ચાના ખાડામાં પડવાની નોબત આવે છે.
નવા રસ્તાઓ તૂટતાં બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરો સામે બ્લેકલિસ્ટ કરવાથી લઈ રસ્તાના ખર્ચ જેટલો દંડ વગેરે પગલાં કેમ લેવાતા નથી તેની સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.