સુરતમાં રોગચાળો વકરતા લોકો ફફડી ઉઠ્યા છે, છેલ્લા 30 દિવસમાં રોગચાળામાં સપડાયેલા 28 લોકોના મોત થઈ ગયા છે અને છેલ્લા 72 કલાકની વાત કરવામાં આવેતો રોગચાળામાં સપડાયેલા 3 બાળક સહિત કુલ 6 લોકોના મોત થઈ ગયા છે.
સુરતમાં મેલેરીયાના 7, તાવના 76 કેસ નોંધાયા છે તથા ડેન્ગ્યુના 24 અને ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા છે.
રાજ્યમાં ચોમાસાના કારણે રોગચાળામાં વધારો થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં રોગચાળો વધ્યો છે.
છેલ્લા 12 દિવસમાં 38 ડાયરિયાના કેસ સાથે સાઉથ ઝોન વિસ્તારમાં મોતના આંકડા વધ્યા છે.
દિનપ્રતિદિન ડેન્ગ્યુ, ટાઈફોઈડ, તાવના કેસ વધ્યા છે.
ગેસ્ટ્રો, મેલેરીયા, કોલેરા અને કમળાના કેસ નોંધાઈ રહ્યા છે.
સુરતમાં સિવિલ-સ્મિમેર હોસ્પિટલના OPDના કેસ વધ્યા છે તથા ઉપરા ઉપરી મોત થતા સુરતનું આરોગ્ય તંત્ર દોડતું થયુ છે.