હાર્દિક પટેલ સાથે પાટીદારો પુણા પોલીસ સ્ટેશને પહોંચી ચુક્યા છે.હાર્દિકની અટકાયત પણ કરાય હતી જોકે ૧૦ મિનિટ સુધી ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ હાર્દિકને છોડી દેવામાં આવ્યો હતો.પુણા પોલીસ સ્ટેશને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ઉગ્ર પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે.
સુરતના સરથાણા વિસ્તારમાં બીજેપીના યુવા પ્રદેશ અધ્યક્ષ ઋુત્વીજ પટેલની રેલીમાં પાસના કન્વીનર વિજય માંગુકી.યાએ વિરોધ કરી રેલી પર ઇંડા ફેંકયા હતા. જેને લઇને ભાજપના કાર્યકરો દ્વારા વિજય માંગુકીયાને ઢોર મારમારવામાં આવ્યો હતો. બાદમા પોલીસ દ્વારા વિજય માંગુકીયા સહિત 19 સામે ફરિયાદ નોંધી હતી. જો કે વિજય માંગુકીયાને મારમારનાર સામે કોઇ પણ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો ન હતો. જેથી પાટીદારો સાથે પોલીસ દ્વારા અન્યાય કરાતો હોવાનું જણાવી હાર્દિક પટેલ આજરોજ પુણા પોલીસ મથકનો ઘેરાવો કરવા પહોંચી ગયો હતો. જ્યા ઉપરી અધિકારી તથા પુણા પોલીસ મથકના પીઆઇ એમ.વી.પટેલ દ્વારા હાર્દિકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમા હાર્દિકે જણાવ્યુ હતુ કે વિજય માંગુકીયાને મારમારનારના ફુટેજ પોતાની પાસે છે , અને આ ફુટેજ દ્વારા પોલીસ ફરિયાદ નોંધી શકે છે.. જે વાતને માન્ય રાખી પોલીસે આ ફુટેજ પોતાને આપવા જણાવ્યુ હતુ, અને ફુટેજ જોયા બાદ આરોપી વિરુધ્ધ કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યુ હતુ. પોલીસ દ્વારા આશ્નવાસન આપતાની સાથે જ હાર્દિકે લોકોને પરત વાળ્યા હતા. આ ઉપરાંત મિડિયા સાથે વાતચીત દરમિયાન તેને જણાવ્યુ હતુ કે જો પોલીસ દ્વારા યોગ્ય સમય મર્યાદામા પગલા લેવામા નહિ આવશે તો ફરીથી પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.