સૂરતથી લઈ અંકલેશ્વર સુધીના વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરી કરી પોલીસને પડકાર ફેકનાર આરોપીને આખરે સુરતક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે.
મુળ યુપીનો અને હાલ ડીંડોલીના ભેસ્તાન આવાસ ખાતે રહેતો રામસુરત રતીપાલ યાદવે અંકલેશ્વરમાં 4 અને સુરતમાં 38 વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ભેસ્તાન આવાસ ઓવરબ્રીજ નજીકથી આરોપી રામસુરત રતીપાલ યાદવને ઝડપી પાડી તપાસ કરતા તેણે અંકલેશ્વર શહેર અને તાલુકા પોલીસ મથકની હદમાં તેના સાગરીત નરપતસિંહ ચારણ સાથે મળી વીજ ટ્રાન્સફોર્મરની રેકી કરી રાત્રીના સમયે વીજ ટ્રાન્સફોર્મર ને તોડી તેમાંથી કોપર કાઢી લઈ અન્ય ભંગારવાળા ને ઉંચા ભાવે વેચી મારતા હોવાનું ખુલવા પામ્યું હતું.
સુરત ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલો તસ્કર ટ્રાન્સફોર્મર ચોરીના કુલ 42 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું છે.